‘Traveller’s curse” – a friend of mine shared something with this title a while ago. It caught my attention immediately. Turns out it’s actually a reply to somebody’s thread up on Reddit! Funny how you find awesome stuff at most random places. The section below is translation of that one what I read a while ago.
તમે ક્યારેય પ્રવાસીનાં અભિશાપ વિશે સાંભળ્યું છે?
સાંઠેક વર્ષનાં એક ઘરડાં રખડુ પ્રવાસીએ મને મધ્ય-અમેરિકામાં બીયર પીતાં વાત કરી હતી જે કંઇક આવી છે …
“તમે જેટલી વધુ જગ્યાઓ જુઓ, તેમ વધુ અને વધુ વસ્તુઓ તમને ગમવાની છે. અપીલ કરવાની છે. પણ, કોઈ એક જગ્યાએ એ બધું જ હોય તેવું નહીં બને. ખરેખર તો દરેક નવી જગ્યાએ જશો તેમ તમને ગમતી બાબતો ઓછી ને ઓછી જોવા મળતી હોય તેવું લાગશે. અને છતાંયે જેમ વધુ જગ્યાઓ જોશો તેમ એ મુલાકાતો તમને પ્રબુદ્ધ રીતે (સબ-કોન્શિયસલી) પણ વધુ ને વધુ શોધવા માટે પ્રેરશે, એક ખાસ જગ્યા. ખાસ જગ્યા એટલે પરફેક્ટ જગ્યા એવું નહીં (આપણને બધાંને ખબર છે કે, શાન્ગરી-લા અસ્તિત્ત્વ નથી ધરાવતું) પણ, એવી જગ્યા જે તમારાં પોતાનાં માટે પરફેક્ટ હોય. Just a place that’s ‘just right’ for you. પણ, અભિશાપ એ છે કે, જેમ વધુ ને વધુ જગ્યાઓ જોતાં જશો અને વધુ અનુભવ કરતાં જશો તેમ આ પરફેક્ટ જગ્યાનું અસ્તિત્ત્વ હોવાની શક્યતાઓ પણ તમારાં માટે એક પછી એક ઘટતી જશે. વધશે નહીં. અને એટલે તમારી એ જગ્યા શોધવાની તલબ અને પ્રયત્નો પણ વધતાં જશે. આ એ શાપનો પ્રથમ ભાગ છે.
બીજો ભાગ છે, સંબંધો. જેમ વધુ પ્રવાસ કરશો તેમ ઘણાં બધાં લોકો સાથે, વિવિધ પ્રકારની ગહનતા ધરાવતાં સંબંધો બંધાતા જશે. પણ, જેટલાં વધુ માણસો સાથે સંબંધો બંધાશે તેમ તે દરેક વ્યક્તિ સાથેનો તમારો સમય છૂટો-છવાયો અને વહેંચાઇ ગયેલો લાગશે. વળી, એ બધાં લોકો તમારી સાથે પ્રવાસ નહીં કરી શકે એટલે જેમ વધુ પ્રવાસ કરો તેમ તેમ આ બધાં સંબંધો લાંબા સમય સુધી કેળવવા અઘરાં પડી જશે. પણ, છતાંયે તમે ફરતાં રહેશો અને નવાં નવાં અદ્ભુત માણસોને મળતાં રહેશો અને એટલે તમને સારું લાગ્યાં કરશે. પણ, સમય જતાં તમે તે બધાંને મિસ કરશો અને ઘણાં તેમનાં જીવનમાં તમારાં અસ્તિત્ત્વને ભૂલી પણ જશે. પછી તમે એ બધાંનું સાટું વાળશો અને ક્યાંક વધુ લાંબો સમય રહેવાનું નક્કી કરશો અને લાંબો સમય સુધી જાળવી શકો તેવાં મજબૂત સંબંધો કેળવશો. પણ, એ માણસોને ક્યારેય ખબર નહીં પડે જે તમે જાણો છો અને તમે જોયું છે તે તેમણે ક્યારેય નહીં જોયું હોય અને તમે હંમેશા જરાસરખી એકલતા અનુભવશો. પોતાની કહાનીઓ કહેવાની તમારી ઈચ્છા, તેમની સાંભળવાની ઈચ્છા કરતાં જરાસરખી વધુ રહેશે. આ વાત એ શાપનો ભાગ એટલા માટે છે કે, જેમ વધુ ટ્રાવેલ કરતાં જાઓ તેમ આ વધુ ને વધુ બગડતું જશે અને છતાંયે અમુક સમય સુધી તમને વધુ ટ્રાવેલ કરવું એ જ આનો એકમાત્ર ઈલાજ લાગશે.
આમાંનું કશું જ કહેવાનો મતલબ એ નથી કે, તમારે ટ્રાવેલ કરવાનું ઘટાડવું જોઈએ. આ યુવાન ટ્રાવેલર્સ માટે ફક્ત એક ચેતવણી છે કે, તેઓ ટ્રાવેલિંગની બહુ રસપ્રદ જિંદગીની કિંમતરૂપે જરાસરખી દુઃખ અને એકલતાવાળી જિંદગીની અપેક્ષા રાખે. વળી, એ નોંધવું રહ્યું કે આ લાગણી એવી જ છે જેવી કોઈ સામાન્ય વ્યક્તિને તેનાં જીવનનાં કોઈ બહુ સ્પેશિયલ ભાગની યાદગીરી હોય. ફક્ત એક હજારગણી વધુ.”
કોઈ કહેશે કે, હવે તો આવું નથી રહ્યું અને ટેકનોલોજી આગળ વધી ગઈ છે વગેરે વગેરે. ફ્લાઈટ્સની ફ્રિકવન્સી વધવાને કારણે ઈચ્છો ત્યારે ઈચ્છો ત્યાં પાછાં જઈ શકો છો અને ઘરે જઈ શકો છો. ખરેખર? મારો પ્રશ્ન એ છે કે, જો તમે ખરેખર પ્રવાસ કરવાં ઈચ્છો જ છો તો તમે આવું કરવા માગશો ખરાં? જો આવું કરશો તો તમે ન તો તમારાં ટ્રાવેલને જસ્ટીફાઈ કરી શકશો અને ન તો ઘરે પાછાં જવાને. વળી, જેમની સાથે બહુ ગહેરા સંબંધો બંધાયાં છે તેમની સાથે ફોન પર વાત કરી શકશો કે વધી વધીને વિડીયો ચાટ. પણ, આ પ્રવૃત્તિઓ ખરેખર શું એ વ્યક્તિની ગેરહાજરી પૂરી શકે? તમે તેને ભેટી ન શકો. બસ્કિન-રોબીન્સ્માં જઈને આઈસ-ક્રીમનું એક ટબ શેર ન કરી શકો કે તેને લઈને બારમાં ન જઈ શકો.
અને એટલે આ ટેકનોલોજીએ ઉપરોક્ત પરિસ્થિતિ બદલ્યાની શક્ય દલીલ મને વ્યાજબી નથી લાગતી. જેમ જેમ જગ્યાઓ ફેરવો તેમ સંબંધો દૂર થતાં જાય છે. ઘર ફેરવો તો પડોશી સાથેય પહેલાં જેવું નથી રહેતું. તો, શહેર/દેશ ફેરવો તો મિત્રો/વહાલાંઓ/પ્રેમી સાથે કેમ રહે?
સુ.શ્રી મૌલિકાએ વેબ ગુર્જરી પરના બ્લોગ પ્રિચયમાંથી અહિં આવ્યો છું. ઘણું સારું લાગ્યું, જો કે હજુ બ્લોગ-પ્રવાસ અધુરો રહ્યો છે. સંબંધોની ઉષ્મા લાંબાં સમય પછી જ અનુભવી શકાય, આથી સંબંધોને પુર્ણ સમય અપવો જ ઘટે. ટેકનોલોજી આધરિત સંબંધ ‘બરડ’ હોય છે. હારુન યાહ્યાની વાત સાચી છે.
ફરી મળીશું.
એક ક્વોટ વાંચ્યો હતો યાદ આવી ગયો: “I always wonder why birds stay in the same place when they can fly anywhere on the earth. Then I ask myself the same question.” -Harun Yahya